ભારત એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. અહિયાં 33 કરોડ દેવી-દેવતાઓ ની પૂજા કરવામાં આવે છે. જ્યાં ભગવાન રામ હશે ત્યાં ભગવાન હનુમાન ચોક્કસ મળશે. બજરંગ બલીને ઘણા જુદા-જુદા નામોથી ઓળખવામાં આવે છે. ક્યાંક તેને ભગવાન હનુમાન કહેવામાં આવે છે.
અને ક્યાંક તેને સંકટ મોચન કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આપણા દેશમાં ઘણા પ્રખ્યાત હનુમાન મંદિરો છે. તેમાંથી એક મહેંદીપુર બાલાજી મંદિર છે જે રાજસ્થાનમાં દૌસાની બે પહાડીઓ વચ્ચે આવેલું છે.
આ મંદિરમાં આખું વર્ષ ભક્તોની ભીડ રહે છે અને લોકો અહીંથી ખુશ થઈને પાછા ફરે છે. દૌસામાં બનેલા મેહંદીપુર બાલાજી મંદિરમાં હનુમાનજી તેમના બાળ સ્વરૂપે બિરાજમાન છે. તેની બરાબર સામે ભગવાન રામ-સીતાની મૂર્તિ છે. જેમના તેઓ હંમેશા દર્શન કરતા રહે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે એક નિયમ છે કે,
તેઓએ દર્શનના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા ડુંગળી, લસણ, નોન-વેજ, આલ્કોહોલ વગેરેનું સેવન બંધ કરી દેવું જોઈએ. મહેંદીપુર બાલાજી મંદિરમાં પોતાની બાધાઓના નિવારણ માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે. અહીં પ્રેતરાજ સરકાર અને ભૈરવ બાબાની મૂર્તિ પણ બિરાજમાન છે.
પ્રેતરાજ સરકારના દરબારમાં દરરોજ 2 વાગે કીર્તન થાય છે. અહીં લોકો પર આવેલા સાયાઓને દૂર કરવામાં આવે છે. હનુમાનજીના ચરણોમાં પહોંચ્યા બાદ વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ઘરે પરત ફરે છે. મહેંદીપુર બાલાજી મંદિરમાં લોકો પરિવારના સભ્યો, સગાં-સંબંધીઓ કે મિત્રોને નડતી બાધાઓને દૂર કરવા માટે લઈને આવે છે.
આ મંદિરનો કોઈ પણ પ્રકારનો પ્રસાદ ન તો તમે ખાઈ શકો છો અને ન તો કોઈને આપી શકો છો. અહીંનો પ્રસાદ ઘરે લઈ જવાની પણ મનાઈ છે. તમે અહીંથી કોઈ પણ ખાવા-પીવાની વસ્તુઓ કે સુગંધિત વસ્તુઓ પણ તમારા ઘરે લઈ જઈ શકતા નથી. એવું કહેવાય છે કે આમ કરવાથી ઉપરનો સાયો તમારા પર આવી જાય છે. તેથી અહિયાથી કોઈ પ્રસાદી ઘરે લઈ જતાં નથી.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…